..

આ રીતે શરૂ થઈ રેખા અને મુકેશ અગ્રવાલની લવ સ્ટોરી, સંબંધનો થયો હતો દુઃખદ અંત…

શેર કરો

અભિનેત્રી રેખા સુંદર હોવાની સાથે સાથે એક મહાન અભિનેત્રી પણ છે. સુંદરતાની દ્રષ્ટિએ, તે આજની અભિનેત્રીઓને હરાવે છે. રેખાએ તેની ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની કારકિર્દી દરમિયાન તેણે ઘણી જોરદાર ભૂમિકાઓ કરી છે. જ્યારે પણ રેખા કોઈપણ ઇવેન્ટમાં પહોંચે છે, ત્યારે બધા કેમેરા તેમની તરફ વળે છે. તેણે તેની કારકિર્દીમાં નોંધપાત્ર સ્થાન હાંસલ કર્યું છે, પરંતુ જો આપણે તેની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો તેનું અંગત જીવન સારું રહ્યું નથી. તમને જણાવી દઈએ કે 10 ઓક્ટોબરે તેનો જન્મદિવસ આવે છે અને આ દિવસે તે તેનો જન્મદિવસ ઉજવે છે. તેમના જન્મદિવસ પ્રસંગે, અમે તમને તેના અને મુકેશ અગ્રવાલ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

અભિનેત્રી રેખાએ તેની અભિનય કુશળતા કરતા તેના અંગત જીવન વિશે વધારે હેડલાઇન્સ બનાવી છે. તેની બાબતોની ચર્ચા આજે પણ થાય છે. રેખા અને અમિતાભના અફેર વિશે તમે બધા જાણતા હશો, પરંતુ રેખા અને મુકેશ અગ્રવાલના લગ્ન થયા હોવાનું બહુ ઓછા લોકોને ખબર હશે.

આ રીતે થઈ રેખાની મુકેશ અગ્રવાલ સાથે મુલાકાત:

તમને જણાવી દઈએ કે અભિનેત્રી રેખા અને ફેશન ડિઝાઇનર બીના રામાણી વચ્ચે સારી મિત્રતા હતી. જ્યારે રેખા તેના મિત્રને મળવા ગઈ હતી, તે જ સમયે, તેણી તેની મિત્ર બીના રામાણી સાથે વાત કરતી હતી કે તે હવે તેના જીવનમાં સ્થિર થવા માંગે છે. તે એક એવી વ્યક્તિની શોધમાં હતી જે તેને ખૂબ જ ચાહે. રેખાની મિત્ર બીના રામાણી એ મુલાકાત મુકેશ અગ્રવાલ સાથે કરાવી હતી. તેણે મુકેશ અગ્રવાલનો નંબર રેખાને આપ્યો હતો પરંતુ રેખા એ તેનો નંબર આપવાનો ઇનકાર કર્યો હતો. તે દરમિયાન લેન્ડલાઇન ફોનનો ઉપયોગ થતો હતો. રેખા મુકેશ અગ્રવાલ સાથે ફોન પર વાત કરવા માંગતી નહોતી. ત્યારે બીના રામાણીએ રેખાને સમજાવતાં કહ્યું કે તેણે જીવનમાં આગળ વધવું જોઈએ.

મુકેશ અગ્રવાલની સરળતા અને પ્રામાણિકતાથી રેખા થઈ હતી પ્રભાવિત:

થોડા સમય પછી રેખા અને મુકેશ અગ્રવાલની થોડી વાત થઈ. ધીરે ધીરે, આ બંને વચ્ચે વાતચીત વધતી ગઈ. બંને મુંબઈમાં પહેલીવાર મળ્યા હતા. તે દરમિયાન, અભિનેત્રી રેખા મુકેશ અગ્રવાલની સરળતા અને પ્રામાણિકતાથી ખૂબ પ્રભાવિત થઈ હતી, પરંતુ મુકેશ અગ્રવાલ પહેલાથી જ રેખાના પ્રેમમાં પડી ગયા હતા. જ્યારે પણ રેખા અને મુકેશ અગ્રવાલ મળતા, મુકેશ અગ્રવાલ રેખાની ખૂબ પ્રશંસા કરતા.

બંનેના અચાનક થઈ ગયા લગ્ન:

અભિનેત્રી રેખા અને મુકેશ અગ્રવાલ લગભગ એક મહિના સુધી એકબીજા સાથે વાતો કરતા રહ્યા અને મળતા રહ્યા. એક દિવસ જ્યારે મુકેશ અગ્રવાલ રેખાને મળવા ગયો ત્યારે તેણે રેખાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જેના માટે રેખા રાજી થઈ ગઈ. અચાનક મુકેશે કહ્યું કે આપણે લગ્ન કરીશું. વર્ષ 1990 માં, તેમના લગ્ન જુહુના એક મંદિરમાં થયા. લગ્ન બાદ મુકેશ અગ્રવાલ અને રેખા હનીમૂન માટે લંડન ગયા હતા. એક અઠવાડિયા પછી રેખાને મુકેશનું એક અલગ વ્યક્તિત્વ જોવા મળ્યું. તમને જણાવી દઈએ કે મુકેશ દિલ્હીમાં રહેતો હતો અને અભિનેત્રી રેખા મુંબઈમાં રહેતી હતી. મુકેશ અગ્રવાલને મળવા માટે રેખા ઘણી વાર દિલ્હી જતી હતી.

આ રીતે રેખા અને મુકેશના સંબંધનો કરુણ અંત આવ્યો હતો:

તમને જણાવી દઈએ કે મુકેશ અગ્રવાલ એક ઉદ્યોગપતિ હતા. લગ્નના કેટલાક મહિનાઓ પછી મુકેશને તેના ધંધામાં ખોટ પડવાની શરૂઆત થઈ, જેના કારણે તે ખૂબ પરેશાન હતો, બીજી તરફ, અભિનેત્રી રેખા પણ ખૂબ ચિંતિત હતી. રેખા મુકેશને મળવા દિલ્હીથી મુંબઇ આવતી હતી, જે મુકેશને જરા પણ ગમતું ન હતું. મુકેશ ઇચ્છતો હતો કે રેખા ફિલ્મોમાં કામ ન કરે. અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે મુકેશ અગ્રવાલ ડિપ્રેશનનો શિકાર બન્યો હતો, જેના કારણે તેણે દવાઓ લેવાનું પણ શરૂ કર્યું હતું. ધીરે ધીરે રેખા અને મુકેશ વચ્ચેની વાતો પણ અટકી ગઈ. લગ્નના 6 મહિના પછી જ રેખાએ છૂટાછેડા માટે અરજી કરી હતી. મુકેશ પહેલેથી જ બિઝનેસમાં થયેલા નુકસાનને લઈને ખૂબ જ ચિંતિત હતો, આ દરમિયાન તે તેના લગ્ન જીવનને લીધે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. વર્ષ 1990 ઓક્ટોબર ના મહિનામાં તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *