આજે દંડાધિકારી શનિ મહારાજ થયા માર્ગી, જાણો કોને મળશે સુખ અને કોના ભાગ્યમા રહેશે હજુ દુઃખ, જાણો તમામ રાશીઓ પર કેવો પડશે પ્રભાવ?
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિ ઠીક હોય તો જીવનના દરેક કામમાં સુખ મળે છે પણ શનિની સ્થિતિ ખરાબ હોય ત્યારે તે જીવનને ખુબ જ કઠિન બનાવી દે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને સૌથી પ્રભાવી ગ્રહ માનવામાં આવ્યો છે. એવી સ્થતિમાં શનિદેવ આજના માર્ગી થવા માટે જઈ રહ્યા છે. જેની અસર દરેક રાશિઓ પર પડશે. તો ચાલો જાણીએ કે કઈ રાશિના વ્યક્તિ પર તેનું શુભ અસર થશે.
મેષ રાશિ :
આ રાશિમાં શનિદેવ દશમ કર્મભાવમાં માર્ગી થઇ રહ્યા છે. આ પરિવર્તન આ રાશિ માટે શુભ રહેશે. ધંધાના ક્ષેત્રમાં ખુબ નફો થશે અને આર્થિક સમસ્યાથી છુટકારો મળશે. તેમના માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. તમે તમારી જવાબદારીઓને ખુબ જ સારી રીતે પૂર્ણ કરી શકશો.
વૃષભ રાશિ :
આ રાશિમાં શનિદેવ ભાવમાં ગોચર કરશે, જેનાથી વૃષભ રાશિના ભાગ્યમાં નિખાર આવશે. સફળતાના ઘણા રસ્તાઓ મળશે અને તમારા વિચારો પણ સકારાત્મક બનશે. ધંધાના ક્ષેત્રમાં મોટી સફળતા થવાની સંભાવના છે. ઘણા સમયથી રોકાયેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે. તમારે વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે.
સિંહ રાશિ :
આ રાશિમાં શનિદેવ છઠ્ઠા શત્રુ ભાવમાં ગોચર કરી રહ્યા છે, જેને લીધે તમને શુફ ફળની પ્રાપ્તિ થશે. તમે લગાતાર તમારી સફળતા તરફ આગળ વધશો. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થશે અને તમારા કાર્યમાં આવતી અડચણો આ સમયમાં દૂર થતી દેખાશે.
કન્યા રાશિ :
આ રાશિમાં શનિદેવ વિદ્યા ભાવમાં ગોચર કરશે, જેને લીધે શનિદેવનું માર્ગી થવું તમારા માટે શુભ રહેશે. તમારી સંતાનને લગતી બધી સમસ્યાઓ દૂર થશે. વિદ્યાર્થીઓ માટે સારો આ સમય રહેવાનો છે. પ્રેમ સંબંધિત બાબતોમાં પણ તમને રોમાંચક અનુભવ થશે.
તુલા રાશિ :
આ રાશિમાં શનિદેવ ચતુર્થ ભાવમાં ગોચર કરશે. તમારા સરકારી કામકાજમાં તમને ખુબ સફળતા મળશે. તમે તમારા અટકાયેલા કામ પણ આ સમયમાં પુરા કરી શકશો. ધનને લગતી બાબતોમા પણ તમે ભાગ્યશાળી રહેશો. મકાન કે વાહન જેવી વસ્તુઓ આ સમય દરમિયાન ખરીદી શકશો.
વૃશ્ચિક રાશિ :
આ રાશિમાં શનિદેવ પરાક્રમ ભાવમાં માર્ગી થયા જઈ રહ્યા છે જેને લીધે આ રાશિના લોકો કમિયાબીના શિખર પ્રાપ્ત કરી શકશે. નોકરીના ક્ષેત્રમાં સારું કામ કરી શકશો. ધર્મ કર્મની બાબતમાં તમારી સારી રુચિ રહેશે. સામાજિક કાર્યોમાં પૈસાનો ખર્ચ થઈ શકે છે.
ધનુ રાશિ :
શનિદેવ આ રાશિમાં ધન ભાવમાં માર્ગી થઈને ગોચર કરી રહ્યા છે. જેને લીધે આ રાશિની આર્થિક સ્થતિમાં મજબૂતી આવશે. તમે ઉધાર આપેલા નાણા તમને પાછા મળી જશે. પરિવારના વ્યક્તિનો પૂરો સહિયોગ તમને મળશે.
મીન રાશિ :
આ રાશિમાં શનિદેવ લાભ ભાવમાં માર્ગી થઇ રહ્યા છે. તમારી સંતાનને લગતી ચિંતાઓ દૂર થશે. આવકના સાધનોમાં વધરો થશે. પ્રેમ સંબંધિત બાબતોમાં વિશ્વાસ બનેલો રહેશે. મોટા અધિકારીઓ સાથે તમારા સંબંધો સારા રહેશે.
હવે આના સિવાયની બીજી રાશિનો હાલ કેવો રહેશે તે જાણીએ :
મિથુન રાશિ :
આ રાશિમાં અષ્ટમ ભાવમાં શનિદેવ ગોચર કરી રહ્યા છે, જેને લીધે તમારો સમય થોડો કઠિન રહેશે. ઘણા ક્ષેત્રોમાં તમને હાનિ પણ થઈ શકે છે. નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારીઓ સાથે સંબંધ ખરાબ થવાની સંભાવના છે. કોર્ટ કચેરીની બાબતમાં સાવધાની રાખવી.
કર્ક રાશિ :
આ રાશિમાં શનિદેવ સપ્તમ ભાવમાં ગોચર કરી રહ્યા છે, જેને લીધે લગ્નને લગતી બાબતમાં મુશ્કેલી ઉત્પન્ન થવાની સંભાવના છે. ધંધાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ઠીક-ઠાક ફાયદો થશે. તમારે તમારા જરૂરી કામોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
મકર રાશિ :
આ રાશિમાં શનિદેવનું માર્ગી થવું ઠીકઠાક સાબિત થશે. મહેનતના પ્રમાણે જ તમને સફળતા મળશે. ખોટા કામ કરવાથી બચવું. ઘર પરિવારનું વાતારવરણ ઠીક રહેશે. અમુક કાર્યોમાં સફળતા મળવાની સંભાવના છે. તમારા દુશ્મનોથી સાવધાન રહેવું જરૂરી છે.
કુંભ રાશિ :
આ રાશિમાં શનિનું માર્ગી થવું થોડું કઠિન રહેવાનું છે. આ રાશિમાં શનિ હાનિ ભાવમાં માર્ગી થઇ રહ્યા છે, જેને લીધે તમારે વધારે ભાગદોડ કરવાની જરૂરિયાત પડશે. વધારાના બિન જરૂરી ખર્ચા કરવાથી બચવું. બેરોજગાર લોકોને નોકરી મળી શકવાની સંભાવના છે. પૈસાની લેવળ-દેવળ કરવાથી બચવું નહિ તો તમારું જ ધન વેડફાઈ શકે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.