..

સિંહ રાશિના બાળકોમાં જન્મથી જ નેતૃત્વ ક્ષમતા હોય છે, નક્કી કરે તે કાર્ય કરીને જ ઝંપે છે, જાણો બીજા ગુણ.

શેર કરો

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક બાળકનો સ્વભાવ અલગ-અલગ હોય છે. આજે આપણે સિંહ રાશિના બાળકોના સ્વભાવ વિશે જાણીશું. આ બાળકો જે પણ કામ કરવાનું નક્કી કરે છે, તેઓ તેને કરીને જ રાહતનો શ્વાસ લે છે.

તમે કોઈપણ બાળકને તમારા હિસાબે સંપૂર્ણ રીતે ઢાળી શકતા નથી, પરંતુ તેમની રાશિ દ્વારા તમે તેમના સ્વભાવ અને આદતો જેવી કેટલીક મૂળભૂત બાબતોને જાણીને તેમની ખામીઓને દૂર કરી શકો છો. આજે આપણે સિંહ રાશિ અથવા લગ્ન ધરાવતા બાળકોના મનોવિજ્ઞાનને સમજીશું. જાણો સિંહ રાશિના બાળકોમાં કેવા પ્રકારની પ્રતિભા હોય છે?

સુસ્ત વાતાવરણમાં પણ પ્રાણ રેડી શકે છે :

સિંહ રાશિના બાળકો ખુશખુશાલ સ્વભાવના હોય છે, તેમનામાં આળસ વાળા વાતાવરણને ઉત્ત્સાહ વાળા વાતાવરણમાં ફેરવવાની ક્ષમતા હોય છે. તેમનામાં જન્મજાત નેતૃત્વના ગુણો હોય છે, તેઓ દેખાડો કરવાનું પસંદ કરે છે.

સિંહ રાશિ દરેક પર રાજ કરવા માંગે છે :

આ લગ્ન અને રાશિના બાળકો હિંમતવાન, ગરમ સ્વભાવના અને લોકો પર શાસન કરવાવાળા હોય છે. તેઓ બીજાને પોતાના પ્રભાવ હેઠળ લઈ લે છે. તેઓ દેખાવમાં આકર્ષક હોય છે. તેમના ખભા પહોળા હોય છે, તેમની આંખો સુંદર અને ભાવ પ્રગટ કરવાવાળી હોય છે. તેઓ તેમની ઘણી વાતો તેમની આંખો દ્વારા વ્યક્ત કરે છે.

આનંદ પ્રિય પણ લક્ષ્ય પર અડગ રહે છે :

સિંહ રાશિના બાળકો જે લક્ષ્ય નક્કી કરે છે, તેને મેળવવામાં તેઓ પાછા પડતા નથી, પછી ભલેને તેમણે ગમે તેટલી મહેનત કરવી પડે. તેઓ તેમના ધ્યેય સુધી પહોંચવા માટે તેમના મગજનો ઉપયોગ કરીને તેમની સામેની વ્યક્તિ પર ભાવનાત્મક દબાણ પણ કરે છે. આવા બાળકો આનંદી હોય છે અને સુખી જીવન જીવવા માંગે છે. ધીરજ અને ઉદારતા તેમના ગુણો છે. આવા બાળકો મોટા થઈને પણ અચાનક ઉત્તેજિત થતા નથી, પરંતુ તેઓ સમજી-વિચારીને કાર્ય કરે છે. કલા, સંગીત, નાટક અને સિનેમામાં ઊંડો રસ હોય છે.

જન્મજાત જ્ઞાની અને બુદ્ધિશાળી હોય છે :

સિંહ રાશિના બાળકો જન્મથી જ્ઞાની અને બુદ્ધિશાળી હોય છે. મોટા થઈને તેઓ સરકારમાં સારું સ્થાન પણ મેળવી શકે છે. અધિકારી બનવાની કે પ્રજા પર રાજ કરવાની લાગણી હંમેશા તેમના મનમાં રહે છે. દુ:ખ અને ચિંતાના સમયમાં તેઓ પોતાની સમજ, બુદ્ધિ અને દૂરંદેશીથી કામ લે છે. આ લોકોમાં ઘણી ઈર્ષ્યા હોય છે. લાભ માટે ખોટી યોજનાઓ બનાવવાનું ચુકતા નથી. ઘણીવાર તેમનો અહંકાર લોકો સાથે અથડાય છે.

વિશ્વસનીય અને વફાદાર મિત્ર :

આ રાશિના બાળકો જેમનાથી પ્રસન્ન હોય તેમના માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, તેઓ પૂરા હૃદયથી સમર્પિત રહે છે. તેઓ મિત્રતામાં વિશ્વસનીય અને અડગ હોય છે. જેમને મિત્રો બનાવ્યા હોય છે તેમનો સાથ જીવનભર છોડતા નથી. આ લોકોની જીવનશૈલીમાં ઠાઠ સાથે ખાનદાની હોય તેવું લાગે છે.

તમારો વ્યવહાર કેવો હોવો જોઈએ?

માતા-પિતાએ આ બાળકોના ઉછેરમાં ખૂબ કાળજી રાખવી જોઈએ, વાત વાતમાં તેમનો અહંકાર અથડાય છે, આ અથડામણ તેમની સાથે ભણતા અને ખેલકૂદ કરતા બાળકો સાથે પણ થઈ શકે છે. જો માતા-પિતા સાવચેત નહીં રહે તો તેમના અહંકારને પણ ઠેસ પહોંચી શકે છે.

જાદુઈ મંત્ર : જો આવા બાળકો કોઈ ભૂલ કરે કે કોઈ કામ સાવ ખોટું કરે તો પણ તેમની મજાક ન ઉડાવો, પરંતુ પ્રેમથી કહો કે તમે આનાથી વધુ સારું કામ કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *