..

જો તમે હનુમાનજીને માનતા હોવ તો ફક્ત 2 મિનિટ કાઢી ને વાંચો સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજીનો ઈતિહાસ…

શેર કરો

ગુજરાતના સૌરાષ્ટ્રના સારંગપુર ગામમાં હનુમાનજીના દર્શન કરવાથી જ ભૂત-પ્રેત અને બ્રહ્મરાક્ષસ દુર થાય છે. કષ્ટભંજન હનુમાનજીનું આ ધામ પીડિતોના મોક્ષનું સ્થાન કહેવાય છે. આ એક એવું હનુમાન મંદિર છે, જ્યાં દરેક ધર્મના લોકો આવે છે.

આવો જાણીએ આ મંદિરની મુર્તિ પાછળનો રસપ્રદ ઇતિહાસ

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી સ્વામી સહજાનંદ ઘણુંખરું ગઢડામાં રહેતા હતા તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુકત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ વખતે વચ્ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા. સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા કરતા, તેમની ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચર પણ તેમની ભકિત કરતા રહ્યા. એવી લોકવાયકા છે કે આજથી 150 વર્ષ પહેલાં સાળંગપુરમાં ભારે દુકાળ પડ્યો હતો. પ્રાણી હોય કે મનુષ્ય – પાણી વિના દરેકની હાલત દયનીય બની. આ દુકાળ સાળંગપુર આખાને ભરખી લેશે તેમ જણાતું.

આ સમયે વાધા ખાચરે શ્રી ગોપાલાનંદે સ્વામીને વિનંતી કરતાં કહયુ કે સ્વામી અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. એક ત્રણ વરસથી વરસાદ નથી થયો અને બીજુ આ બોટાદ અને કરિયાણીના દરબારો સમૃધ્ધ હોવાથી તેઓ સંતોને રોકિ રાખે છે જેથી અમોને સતસંગનો લાભ નથી મળતો. આ સાંભળી ગોપાળાનંદ ગંભીર બની ગયા અને તેમણે કહ્યુ કે ભીડ ભાંગે એવા હનુમાનજી ની પ્રતીષ્ઠા કરી આપુ. સ્વામી ગોપાલાનંદે વાધા ખાચરને સાળંગપુરાથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી વાધા ખાચરને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને સ્વામીજી કડિયાને કહ્યુ કે આમા એવી મૂર્તિ કંડાર કે વિશ્વમાં તેની નામના થાય.

ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા અને વિક્રમ સવંત ૧૯૦૫(ઇ.સ.૧૮૫૦) ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો-વિદ્રાનો, બ્રાહ્મણો અને હરિભકતોને આંમત્રિત કયૉ. ભવ્ય મોહત્સવમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. આરતી સમયે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મુર્તિ સામે ત્રાટક વિધિ કરતાં ઊભા છે. પોતે સંકલ્પ કરે છે કે આ મુર્તિમાં હનુમાનજી મહારાજ આવિભૉવ થાઓ.

ત્યારે આરતીના પાંચમા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી. ગોપાળ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યોનાં દુઃખ દુર કરજો, પીડિતોને સવૅ પ્રકાર મુકત કરી એ સવૅના ઉધ્ધાર કરજો.મુર્તિ તો હજુ સુધી ધ્રુજતી હતી. તેથી ભકતોએ સ્વામીને પ્રાથૅના કરી કે સ્વામી બાજુમાં ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રીમદનમોહનજી મહારાજનું માહાત્મય ધટી જશે માટે માટે મુર્તી ને ધ્રુજતી બંધ કરો. ત્યારથી આ મુર્તિ ભક્તોના કષ્ટ નિવારવા લાગી ને સાળંગપુરના હનુમાનનું નામ કષ્ટભંજન પડી ગયું.

સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં ) શરૂ થયું. વધુ ને વધુ શ્રધ્ધાળુઓ આ મંદિરનો લાભ લઇ શકે એ માટે ઇ.સ1956માં શરૂ થયેલ વ્યવસ્થિત બાંધકામ આજે 2011 સુધીમાં આ મંદિરને વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે. તો ચાલો જાણીયે આ મંદિરની વિષેસતા વિષે.

આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમના બારણા ચાંદીના છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી. મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે. સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે જે બપોરના બાર વાગ્યા સુધી ખુલ્લા રહે છે. ત્યારબાદ બપોરે 4 વાગે આ મંદિર ખૂલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે.

બધી જ જાતિના અને ધર્મના લોકો અહીં દર્શન કરવા આવે છે. દેશના જુદા જુદા વિભાગોમાંથી અને રાજયોમાંથી આવેલા ભક્તોની મનની મુરાદ અહીં પૂરી થાય છે. એવું કહેવાય છે કે દુષ્ટાત્માઓ કે પ્રેતાત્માઓથી પીડાતા ભક્તોનો પણ અહીં આવી દર્શન કરવાથી છુટકારો થાય છે. પ્રેતાત્માવાળી વ્યકિત મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ મંદિર ધ્રૂજવા લાગે છે. ભગવાનની મૂર્તિ સામે આવતાં જ અને ધૂપનો ધુમાડો તેના શ્વાસમાં જતાં તેમજ હનુમાનજીના મંત્રો ભણતાં જ પ્રેતાત્મા નાસી જાય છે.

મંદિરની પાસે જ ધર્મશાળા આવેલી છે, જેમાં 50 રૂમો છે. ત્યાં રહેનાર ભક્તોને મફત જમાડવામાં આવે છે. ભક્તોને જે ઈચ્છા હોય તે ભગવાનને આપે. મંદિરના સ્થાનક પાસે જ ગૌશાળાછે. મંદિરની વ્યવસ્થા- કમિટી પાસે 600 એકર જમીન ઈનામમાં મેળલી છે. જેમાં 200 એકરમાં મંદિર તરફથી વાવણી કરી અનાજ ઉગાડવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે. તેમાં સ્વામી સહજાનંદ,સ્વામી યજ્ઞ પુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્વામી સહજાનંદ સ્વામીનાં પગલાં છે અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે. આમ સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્વ છે.

સોર્સ: ઈન્ટરનેટ સંકલન: હેતલબેન વ્યાસ

કોઈપણ જે દુષ્ટ આત્માઓથી પરેશાન છે, તે આ સ્થાન પર આવે છે. અહીં, જેમ જ પૂજારી મંત્રનો જાપ કરે છે અને વ્યક્તિ પર પાણી ફેંકે છે, દુષ્ટ આત્મા શરીર છોડીને બહાર નીકળી જાય છે.

પાદરી આત્માને તેના વિશે બધું પૂછે છે. આત્માઓ જે જવાબો આપે છે તે સાંભળીને તમને આશ્ચર્ય થશે નહીં. શરૂઆતમાં, બધા આત્માઓ શરીર ન છોડવાનો આગ્રહ રાખે છે.

પરંતુ જ્યારે તેને સ્વામી ગોપાલાનંદની લાકડી બતાવવામાં આવે છે, ત્યારે તે મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તૈયાર છે.

એ પણ વચન આપે છે કે તે વ્યક્તિને ફરીથી ક્યારેય ખલેલ પહોંચાડશે નહીં. અહીં ગયા પછી વ્યક્તિને આત્મા કે ભૂત-પ્રેતથી સંપૂર્ણ મુક્તિ મળે છે. મંદિરમાં દર મંગળવાર અને બુધવારે આવા દ્રશ્યો જોવા મળશે.

આ ગામ રામાયણ કાળથી સંબંધિત કહેવાય છે. જ્યારે રામ લક્ષ્મણ સાથે સીતાને શોધતા શોધતા કિષ્કિંધા પહોંચ્યા તો ત્યાં હનુમાનજીને મળ્યા.

હનુમાનજીએ રામનો સુગ્રીવ સાથે પરિચય કરાવ્યો અને બલિનો વધ કર્યો. ત્યારપછી હનુમાનજીએ બધાને વાંદરાઓની સેના ભેગી કરવાનો આદેશ આપ્યો.

એવું કહેવાય છે કે તે સમયે મોટાભાગના વાંદરાઓ રાવતાચલ પર્વતના જંગલ વિસ્તારોમાં રહેતા હતા.

હનુમાનજી આ સ્થાન પર માંડવ્ય ઋષિના આશ્રમમાં રોકાયા હતા. તે આ સ્થળની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

પાછા આવ્યા પછી, તેણે રામને આ સ્થળની સુંદરતા વર્ણવી. રામે કહ્યું કે ભવિષ્યમાં તે સ્થાન પર રહીને તમે લોકોના દુઃખ દૂર કરશો.

કળિયુગમાં, સૂર્યવંશીઓ મારવાડ આવ્યા અને સૂર્યનારાયણ મંદિરનું નિર્માણ કરાવ્યું. મંદિરમાં પૂજા કરતા લોકો દાદાના નામથી ઓળખાતા હતા.

તેમણે પૂજા કર્યા વિના ખોરાક કે પાણી લીધું ન હતું. એકવાર ભયંકર દુકાળ પડ્યો અને મૂર્તિને રથ પર રાખીને તેમને બીજે ક્યાંક જવું પડ્યું.

જ્યારે રથ આગળ વધી રહ્યો હતો ત્યારે તેનું પૈડું એક જગ્યાએ પડી ગયું અને ઘણા પ્રયત્નો પછી પણ બહાર ન આવ્યું.

પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટે લોકો વિદેશથી પણ આવે છેઃ

સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી ગોપાલાનંદજી મહારાજે હનુમાનજીને પ્રસન્ન કર્યા અને અહીં રહેવા માટે સંમત થયા.

1905 માં, હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને તેમાં જીવન-અભિષેક કરવામાં આવ્યો હતો.

ત્યારથી, દેશના ખૂણે-ખૂણેથી દરરોજ હજારો ભક્તો અહીં આવે છે અને તેમના દુઃખોનું નિવારણ કરે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે વિદેશથી પણ લોકો આ મંદિરના દર્શન કરવા આવે છે અને પોતાના કષ્ટોથી મુક્તિ મેળવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
બોલશે ગુજરાત પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *