હિમાચલ ની આ ઝીલ મા છુપાયેલો છે અરબો રૂપિયા નો ખજાનો, નાગદેવતા કરે છે ત્યાં ની રક્ષા
હિમાચલપ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતુ છે. અહીં તમને એક કરતા વધુ કુદરતી દૃશ્યો જોવા મળશે. જો કે, આજ અમે તમને હિમાચલમા એક તળાવ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમા અબજો રૂપિયા નો ખજાનો છૂપાયેલો છે. એવું માનવામા આવે છે કે મંડિ થી ૬૦ કિ.લો. દૂર કામરૂનાગ તળાવ ની અંદર અબજો થી કરોડો સુધી નો ખજાના છુપાયેલા છે. અહિયાં જવા માટે રોહંડા થી પદયાત્રા કરવી પડે છે.
અહિયાં તમારે ગાઢ જંગલ માથી પસાર થવું પડશે અને તે ઘણી મુશ્કેલીઓ થી ભરેલુ છે. આ માટે, તમારે આશરે આઠ કિ.લો. ઊંચાઈ પર પણ ચઢવુ પડશે. તેની ઉંચાઇ દરિયાઈ સપાટી થી લગભગ ૩૨૦૦ મીટર ની ઊંચાઈ છે. આ સરોવરો અહિયાં ના મહાન પર્વતો માથી જ વહે છે.
દર વર્ષે ભરાય છે અહિયાં મેળો:
કમરુનાગ તળાવમા દર વર્ષે ૧૪ અને ૧૫મી જૂન ના રોજ મેળો પણ ભરાય છે. આ સમય દરમિયાન, લોકો બાબા કમરુનાગ ની મુલાકાત માટે દૂર-દૂર થી અહિયાં દર્શનાર્થી આવે છે. તે આ સ્થાન ના ભગવાન માનવામા આવે છે. એવું માનવામા આવે છે કે અહીં આવ્યા બાદ ભક્તો ની દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે. આ તળાવમા એક પ્રાચીન ભગવાન નુ મંદિર પણ છે. દરવર્ષે અહીં આવતા ભક્તોજનો ની સંખ્યામા વધારો થાય છે. ઠંડા દિવસોમા અહીં આવવુ પણ અશક્ય છે. તેનું કારણ એ છે કે આ જગ્યાએ ઠંડી થી બરફવર્ષા થાય છે. ફક્ત અનુભવી લોકો જ તેમા પ્રવેશ કરી શકે છે.
નાગદેવતા કરે છે આ ખજાના ની રક્ષા:
આ તળાવ ની આજુબાજુ ફેલાયેલા બધા જ પર્વતો નાગ જેવા આકાર ના છે. એવું માનવામા આવે છે કે આ નાગદેવો તળાવ મા દાટવામા આવેલા ખજાના ની રક્ષા કરે છે. જો કોઈપણ આ ખજાના ને અડે છે તો તે તેમના વાસ્તવિક અવતારમા આવે છે. આ તળાવ સાથે એક પ્રાચીન કથા પણ જોડાયેલી છે જે પ્રમાણે એક વખત બ્રિટિશ લોકો આ તળાવ ના ખજાના ની લૂંટ કરવા આવ્યા હતા પરંતુ તેઓ નિષ્ફળ થયા હતા.